Posts

Showing posts from September, 2021

મનઃશાન્તિ કેમ મળતી નથી?

મનઃશાન્તિ કેમ મળતી નથી?         મનની શાંતિ કેમ મળતી નથી? માણસ અશાંત છે,  અસ્વસ્થ છે.  આજે માણસો મંદિરમાં જાય છે  ,  ભક્તિ કરે છે. ગીતા ઇત્યાદિ પુસ્તકો વાંચે છે. તેમને મનની શાન્તિ મળતી નથી. કોઈ સાધુ - સન્યાસી આવે તો તેની પાછળ નાચતા રહે છે. પણ તે લોકો ગાંડા નથી અને મૂર્ખ પણ નથી. પણ એ લોકોને મનઃશાન્તિ નથી એ હકીકત છે. જે અમેરિકામાં ઘેર ઘેર થયું છે.તે જ ધીરે ધીરે ભારતમાં થતું જાય છે. માણસને મનઃશાન્તિ જોઈએ, પણ તે મળતી નથી. માણસને ચેન કેમ પડતું નથી? આનંદ કેમ મળતો નથી ? આ બધાનો જવાબ એક જ છે.  એક વખત બાદશાહે ત્રણ પ્રશ્નો પૂછ્યા અને કહ્યું કે આ ત્રણે પ્રશ્નોના જવાબ એક જ વાક્યમાં માંડવો જોઈએ. આ પ્રશ્નો આ મુજબ હતા (1) ઘોડો અટક્યો કેમ ? (2) પણ સડ્યું કેમ ? (3) ભાખરી બળી કેમ ?   એકજ વાક્યમાં ત્રણે પ્રશ્નનો  જવાબ આપવો મુશ્કેલ હતો. તેથી કોઈ જવાબ આપી શક્યું નહી. ત્યારે બીરબલ ઉભો થયો અને કહ્યું "જહાંપનાહ ! ફેરવ્યો નહિ તેથી ઘોડો અટક્યો કેમ?   ફેરવ્યો નહિ તેથી. તેને દરરોજ ફેરવત તો તે અટકત નહિ.ભાખરી બળી કેમ?તો કહે ફેરવી નહિ તેથી.  પા...

કામ ની મીઠાસ ક્યારે દૂર થાય ?

કામ ની મીઠાસ ક્યારે દૂર થાય ?          निराहारस्य  देहिन: કહીને ગીતાકારે કામના કાઢવાનો એક રસ્તો દેખાડ્યો છે. જો તું નિરાહાર થાય તો કામના જાય. અહીં આહાર એટલે કેવળ ભોજન એવો અર્થ લેવાનો નથી. પ્રત્યેક ઈન્દ્રિયનો આહાર જુદો છે. ચક્ષુરેન્દ્રિય, કર્ણેન્દ્રિય, રસેન્દ્રિય દરેક નો આહાર જુદો જુદો હોય. કેટલાક સંપ્રદાય ના લોકો પચાસ પચાસ દિવસ સુધી નિરાહાર રહે, પરિણામે એવા થઇ જાય કે તેમને કોઈ વાતની ઈચ્છા થાય જ નહિ. તમે ચાર દિવસ અન્ન ના લો તો તમને સિનેમા જોવાની ઈચ્છા થાય ? ના થાય. કારણ, ચાર દિવસ હાર ના લો એટલે ઉઠાય જ નહિ. ફરી ના શકો, કઈ ચેન પણ ના પડે. આમ નિરાહાર રહેવાવાથી કદાચ કામ છુટશે, પણ કામ ની મીઠાશ જશે નહિ. દ્વારકાધીશ ગીતામાં  પૂર્ણતા દેખાડે છે, તેથી કહે છે કે તું નિરાહાર થવાનો રસ્તો લઈશ તો કદાચ કામ છુટસે, પણ તું કર્મયોગી નહિ બને.  કામનાની મીઠાશ ક્યારે જાય ?  रसवर्ज रसोप्यस्य परं दृष्ट्वा निर्वतते     દ્વારિકાધીશે ગીતામાં જે સ્થિતપ્રજ્ઞ ચીતર્યો છે તે કમાલ નો છે! લોકો કહે છે કે બીજા અધ્યાય માં ભક્તિ છે જ નહિ. ભક્તિ નથી? તો ભઈલા ! તમને નમન !...

Adsense બ્લોગ ગુજરાતી

Adsense બ્લોગ ગુજરાતી        ગુજરાતી ભાષા ને પ્રેમ કરતા દરેક મિત્રો ને સવાલ થાય કે ગુજરાતી ભાષા માં બ્લોગ અથવા વેબસાઈટ બનાવી ને ..એમાંથી પૈસા કમાઈ શકીએ ?  ગૂગલ એ બ્લોગ અથવા વેબસાઈટ ને adsense એપ્રુવલ આપે છે. તો જવાબ છે હા ... ગૂગલ એ પોતાની પોલીસી બદલી છે. એ પોલીસી માં ગુજરાતી ભાષા ને adsense માં સામેલ કરી છે.        તો ચાલો જાણીએ કે કેવી રીતે બ્લોગ બનાવાય એ પણ મફત માં ...અને કેવી રીતે .બ્લોગ માં ..લખાય ..કેવી રીતે ...adsense અપૃવલ લઇ શકાય. અને શું સાવધાની રાખવી પડે ..તો ચાલે સ્ટેપ બાય સ્ટેપ ...બધી જ વાતો સમજીએ .....અને ...એ પણ ગુજરાતી માં ....મોજ ...ભાઈ મોજ         સોથી પહેલા ઓનલાઈન લખાણ માટે આપણે એક બ્લોગ અથવા વેબસાઈટ બનાવવી પડશે ....અત્યારે ...આપણે ફક્ત ..મફત માં બ્લોગ કેવી રીતે બનાવી શકાય ...એ સમજીશું ..તો બ્લોગ બનાવા માટે આપણે ...ગૂગલ ની કંપની ...https://www.blogger.com/ માં મફત માં બ્લોગ બનાવી શું ...આ લીક ઉપર ક્લિક કરને બ્લોગ બનાવી દો ....જેમાં તમને વધારે માહિતી હોય ...જે વિષય માં ...એના વિષે લખાણ ...લખવાનું છે....