રાજા હરિચંદ્ર એ રોહિદાસ ને પરબ નું પાણી પિતા કેમ રોક્યો?
રાજા હરીચંદ્ર એ રોહીદાસ ને પરબ નુ પાણી પીતા કેમ રોકયો? સત્યવાદી રાજા હરિચંદ્ર એ પોતાનું રાજ્ય મહર્ષિ વિશ્વામિત્ર ને દાન માં આપ્યા પછી જંગલ માંથી પસાર થતા હતા તેમની સાથે પત્ની તારામતી અને પુત્ર રોહિદાસ પણ હતા. જંગલ માં ચાલતા ચાલતા તેમને તરસ લાગી.. આ તરફ વિશ્વામિત્ર એ હરિચંદ્ર ની પરીક્ષા કરવા માટે જે રસ્તે હરિચંદ્ર જવાના હતા તે રસ્તા નું આખુ જંગલ સળગાવી દીધું.. અને એ જંગલ માં જે રસ્તા ઉપર થઇ ને હરિચંદ્ર જવાના હતા તે રસ્તે એક પરબ બનાવી દીધી આ તરફ રાજા હરિચંદ્ર તારામતી અને રોહિદાસ.. ચાલતા ચાલતા થાકી ગયા હતા... અને કોઈ જગ્યાએ પાણી મળે તો પાણી પીવું હતું... એમને એવી તરસ લાગી હતી કે ભગવાન જો તેમને પ્રશ્ર્ન્ન થાય તો એ પહેલા ભગવાન પાસે પાણી જ માગે... એવી તરસ લાગી હતી.. એટલામાં જ રોહિદાસ ને પરબ દેખાય છે તે દોડતો ત્યાં જઈને પાણી પીવા જાય છે.. અને પાણી ખોબા માં લે છે.. આ જોઈનેહરિચંદ્ર એ હરિદાસ ને રોકે છે. કે રોહિદાસ તારે આ પાણી નથી પીવાનું.. રોહિદાસ કહે છે કે મને તરસ લાગી છે. અને જો હું પાણી ...