સ્થિતપ્રજ્ઞ કર્મયોગી છે
સ્થિતપ્રજ્ઞ કર્મયોગી છે ગીતાનો સ્થિતપ્રજ્ઞ કેવો છે? તે કર્મયોગી છે. ગીતા એ વાત સો પહેલા કહે છે. ગીતાનો સ્થિતપ્રજ્ઞ એવો શાંતિવાદી યતી નથી કે જેને તત્વજ્ઞાની ઓ Quietistic ascetic કહે છે. શાંતિવાદી યતી એક તત્વ માન્ય કરે છે કે કર્મનો સ્વામી પરમેશ્વર નથી, પણ કર્મની સામ્રાજ્ઞી વાસના છે. તેથી તમે વાસના તોડી કે કર્મ ગયું "વાસના કર્મની સામ્રાજ્ઞી છે" એવું એમનું બહુ મોટું દર્શન છે. આપણા આદર્શ અવતારરૂપ ગોતમ બુદ્ધ એ જ કહેતા હતા કે કર્મના મૂળમાં વાસના છે. તેથી કર્મના મૂળમાં ભગવાન હોઈ શકતા નથી. ભગવાન કર્મના સ્વામી નથી, પણ વાસના કર્મની સામ્રાજ્ઞી છે. આવું તેમનું કહેવું છે. કર્મનું મૂળ અજ્ઞાન છે. આમાં કોઈનો મતભેદ રહેવાનું કારણ નથી. ગીતકારનો પણ તેમાં મતભેદ નથી. નહીતો કોઈ કહેશે કે , કર્મો થાય છે , એટલે કર્મનું મૂળ અજ્ઞાન છે, એ અર્ધસત્ય છે, પણ કર્મનું મૂળ ઈશઆજ્ઞાકીતતા ણ જ હોઈ શકે. એમ ગીતા માનતી નથી. એટલે અજ્ઞાન દુર થયા પછી પણ "આજ્ઞાંકિત " એટલે ભક્ત કર્મ કરે છે એમ ગીતાને કહેવાનું છે. भ्रमनिर्वाणमुच्छती એમ ગીતાકારે કહ્યું છે. પર્મેશ્વાર જોડે એકય પામેલો અને જેના કર્મનો પ્રભુ ...