Posts

Showing posts from May, 2021

સ્થિતપ્રજ્ઞ કર્મયોગી છે

  સ્થિતપ્રજ્ઞ કર્મયોગી છે       ગીતાનો સ્થિતપ્રજ્ઞ કેવો છે? તે કર્મયોગી છે. ગીતા એ વાત સો પહેલા કહે છે. ગીતાનો સ્થિતપ્રજ્ઞ એવો શાંતિવાદી યતી નથી કે જેને તત્વજ્ઞાની ઓ Quietistic ascetic કહે છે. શાંતિવાદી યતી એક તત્વ માન્ય કરે છે કે કર્મનો સ્વામી પરમેશ્વર નથી, પણ કર્મની સામ્રાજ્ઞી વાસના છે. તેથી તમે વાસના તોડી કે કર્મ ગયું "વાસના કર્મની સામ્રાજ્ઞી છે" એવું એમનું બહુ મોટું દર્શન છે. આપણા આદર્શ અવતારરૂપ ગોતમ બુદ્ધ એ જ કહેતા હતા કે કર્મના મૂળમાં વાસના છે. તેથી કર્મના મૂળમાં ભગવાન હોઈ શકતા નથી. ભગવાન કર્મના સ્વામી નથી, પણ વાસના કર્મની સામ્રાજ્ઞી છે. આવું તેમનું કહેવું છે. કર્મનું મૂળ અજ્ઞાન છે. આમાં કોઈનો મતભેદ રહેવાનું કારણ નથી. ગીતકારનો પણ તેમાં મતભેદ નથી. નહીતો કોઈ કહેશે કે , કર્મો થાય છે , એટલે કર્મનું મૂળ અજ્ઞાન છે, એ અર્ધસત્ય છે, પણ કર્મનું મૂળ ઈશઆજ્ઞાકીતતા ણ જ હોઈ શકે. એમ ગીતા માનતી નથી. એટલે અજ્ઞાન દુર થયા પછી પણ "આજ્ઞાંકિત " એટલે ભક્ત કર્મ કરે છે એમ ગીતાને કહેવાનું છે. भ्रमनिर्वाणमुच्छती એમ ગીતાકારે કહ્યું છે. પર્મેશ્વાર જોડે એકય પામેલો અને જેના કર્મનો પ્રભુ ...

ગીતાનું ધ્યેયદર્શન

Image
ગીતાનું ધ્યેયદર્શન         ભગવાને આવી રીતે કહ્યા પછી નેસર્ગિક પ્રશ્ન ઉભો થાય કે આવો માણસ કેવી રીતે ચાલતો હોય, કેવી રીતે રહેતો હોય  વગેરે. અર્જુન નો આ પ્રશ્ન છે અને તેનો જવાબ ભગવાન આપે છે. ત્યાંથી ભગવાનનું એક આગવું દર્શન શરુ થાય છે. ગીતાનું આ ધ્યેયધર્શન છે. માનવી જીવનની ઉન્નતી માટે પ્રયત્નશીલ રહેવાવાળાને ગીતા કઈ ધ્યેય આપે છે. તેથી આ ધ્યેયદર્શન છે.          આ ધ્યેયદર્શન ને અશક્ય માનવાવાળો એક વર્ગ તત્વવેત્તોમાં છે. આ તત્વવેત્તાઓ પણ ચિંતકો છે. તેમની આગેવાની કાન્ત જેવા ચિંતકે લીધી છે. તેમના મત પ્રમાણે સ્થિતિપ્રજ્ઞની સ્થિતિ માનવીના કલ્પના જગતમાં જ હોઈ શકે. ગીર્કો એ ચીતરેલો મહામાનવ (superman )  પ્રત્યક્ષમાં દેખાશે નહિ એવું કાન્ટ થી માંડી બધાને લાગે છે. તેમનું કહેવું છે કે એ તો તત્વજ્ઞાનનો ઉચ્ચતમ કુદકો છે. પરંતુ, ગીતા એવું માનતી નથી. ગીતામાં તો અર્જુન સ્પષ્ટ પ્રશ્ન કરે છે.                     स्थितप्रज्ञ का भाषा समाधिस्थस्य केशव             स्थितध...