Posts

Showing posts from March, 2022

કર્મયોગ

   કર્મયોગ      બીજા અધ્યાયનું તાત્પર્ય એ જણાયું કે કર્મયોગમાં કર્મફળ કરતા કર્મના મૂળમાં રહેલી બુદ્ધિ શ્રેષ્ઠ છે. તેથી કર્મની વાસના શ્રેષ્ઠ હોવી જોઈએ. અર્જુને તેમાંથી એટલું જ પકડ્યું કે કર્મના મૂળમાં રહેલી વાસના શુદ્ધ  હોય તો કર્મનું પાપ લાગતું નથી. કેમકે અર્જુનને શ્રેયનો ડર છે. પ્રેયની અપેક્ષા નથી. દ્વારકાધીશે અર્જુનને કહ્યું કે પારમાર્થિક ડર હોય તો પણ કર્મના મૂળમાં શું છે તે જ પરમાર્થ જોવે  છે. પરમાર્થ તેને જ મહત્વ આપે છે. કૃષ્ણએ કહ્યું કે કામ્યબુદ્ધિ કરતા  સામ્યબુદ્ધિ શ્રેષ્ઠ છે. વાસનાત્મક બુદ્ધિ કરતા વ્યવસાયાત્મિકા બુદ્ધિ શ્રેષ્ઠ છે. તમે કઈ પણ કામ કરો તો તેની પાછળ કામ્યબુદ્ધિ ન રાખતા સામ્યબુદ્ધિ રાખો તો તે કર્મ તમને નડશે નહિ; એટલું જ નહિ , આધાત્મિક દ્રષ્ટીએ તમારો વિકાસ થશે. તે કર્મ તમને નીચે નહિ ઉતારે. બીજા અધ્યાયમાં આવો નિર્ણય થયો   અર્જુનને મુજાવતો સવાલ       અર્જુનનો પ્રશ્ન એ છે કે દ્વારકાધીશ ! તમે કહો છો તે કબૂલ  છે મને .શુદ્ધ બુદ્ધિ શ્રેષ્ઠ હશે તો પણ બાર્હ્ય દ્રષ્ટીએ ભયાનક કર્મો હું શા માટે કરું? કર્મના ...

કર્મનો કર્તા બનતો નથી

કર્મનો કર્તા બનતો નથી       જે કર્મ કરીને શાંત રહે છે, તેને વસ્તુ નું સુખ નહિ આત્માનું સુખ હોય છે.એટલું જ નહિ પણ તે કર્મ કરીને પાપ પુણ્ય નો જવાબદાર બનતો નથી. કારણ તે કોઈ પણ કર્મ પોતાની ઈચ્છાથી આરંભ કરતો નથી.             સ્થિતપ્રજ્ઞ માણસ પાપપુણ્ય નો દોષી નથી. એનું કારણ તે પોતે કોઈ કૃતિ કરતો નથી. ન્યાયાધીશ કોઈને ફાંસીની સજા કરે તો તેને માટે ન્યાયાધીશ જવાબદાર નથી. નહિ તો મુશ્કેલી ઉભી થાય. બીજે દિવસે ન્યાયાધીશ ને જ કોર્ટ માં ઉભો કરે. કારણ તેને કોર્ટમાં જ એક માંસ ણે ફાંસી આપી છે. અથાર્ત તેને ઠંડે કલેજે ખૂન કર્યું છે. એમ કહેવાય. તેને તો શાંતિથી સવારના ચાર વાગ્યે ચા પાણી પીને ચુકાદો લખ્યો હતો, છતાં તેને સજા થતી નથી. કારણ, એ જવાબદાર નથી. સ્થિતપ્રજ્ઞ પણ પાપપુણ્ય થી પર છે. તેને કર્મ કરવા ચાત પાપપુણ્ય ન મળે.           સ્થિતપ્રજ્ઞને વસ્તુનું સુખ નહિ આત્મા નું સુખ હોય છે. કારણ એનામાં `હું` અને `મારું` નાં ભાવ ખલાસ થઇ ગયા હોય છે. જ્યારે `હુપણું` અને `મારાપણું` ચાલ્યા જાય ત્યારે પાપપુણ્ય નથી. તે કર્મ કરીને છુટો છે. આ હું ન...