Posts

Showing posts from December, 2025

ઈશાવાસ્ય ઉપનિષદ નો સાર

Image
ઈશાવાસ્ય ઉપનિષદ એ અત્યંત મહત્વપૂર્ણ અને ટૂંકા ઉપનિષદ માનું એક ઉપનિષદ છે કે યજુર્વેદ નો ભાગ છે અને તેના 18 મંત્રો માં સમગ્ર વેદો નો સાર છે    ઈશાવાસ્ય ઉપનિષદ નો સાર  ઈશાવાસ્ય ઉપનિષદ મુખ્યત્વે બે પરસ્પર વિરોધાભાસી દેખાતી બાબતો વચ્ચે સુમેળ સાધે છે  ઈશાવાસ્ય ઉપનિષદ નો સાર   1 ઈશ્વરની સર્વવ્યાપાકતા - જ્ઞાનમાર્ગ   આ ઉપનિષદ નો પ્રથમ મંત્ર છે એજ તેનો પાયો છે  ઈશા  ​ વાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત્।"   અર્થ : આ જગતમાં જે કઈ દ્રશ્ય છે એ બધું ઈશ્વરથી વ્યાપ્ત છે - ઈશ એટલે ભગવાન શાસક ઈશ્વર પરમાઆત્મા  સંદેશ - દરેક વસ્તુ સજીવ કે નિર્જીવ એમાં ભગવાન નો વાસ છે આથી આ જગતમાં કોઈપણ વસ્તુ માં "મારી" ગણીને તેમાં આશક્તિ રાખવી નહિ  વૈરાગ્ય - ઈશ્વરે આપેલા ભાગ નો જ આનંદ માણો - તયક્તેન ભુંજીથા - અન્યના વસ્તુ કે ધન ઇચ્છા ના કરો    2 કર્મ કરવું અનિવાર્ય - કર્મયોગ   આ ઉપનિષદ જ્ઞાન પ્રાપ્ત કરીને જગતનો ત્યાગ કરવાની સલાહ નથી આપતું પરંતુ કર્મ કરતા રહીને મુક્તિ નો માર્ગ બતાવે છે  સંદેશ - મનુષ્યએ 100 વર્ષ જીવવાની ઇચ્છા કરવી જોઈએ ...

નારદ મુનિ ના 84 ભક્તિ સૂત્રો

Image
 નારદ મુનિ ના 84 ભક્તિ સૂત્રો વિષે આજે આપણે જાણીયે અને જીવન માં ઉપયોગ માં લઈએ  નારદ મુનીના 84 ભક્તિ સૂત્રો    .1 અથાતો ભક્તિં વ્યાખ્યાસ્યામઃ હવે ભક્તિનું સ્વરૂપ સમજાવીએ. નારદ મુનિ ના 84 ભક્તિ સૂત્રો  ૨. સા ત્વસ્મિન્ પરમપ્રેમરૂપા ભક્તિ એ તો ભગવાનમાં પરમ પ્રેમનું સ્વરૂપ છે. ૩. અમૃતસ્વરૂપા ચ અને એ પ્રેમ અમૃત જેવો છે. ૪. યલ્લભ્ધ્વા પુમાન્ સિદ્ધો ભવતિ, અમૃતો ભવતિ, તૃપ્તો ભવતિ જેને એ મળી જાય, એ સિદ્ધ થઈ જાય, અમર થઈ જાય, સંતુષ્ટ થઈ જાય. ૫. યત્પ્રાપ્ય ન કિંચિદ્ વાંછતિ, ન શોચતિ, ન દ્વેષ્ટિ, ન રમતે, નોત્સાહી ભવતિ એને મેળવીને બીજું કંઈ જોઈતું નથી, શોક નથી, દ્વેષ નથી, વિષયોમાં રસ નથી, ઉત્સાહ પણ બીજા કામમાં નથી. ૬. યજ્જ્ઞાત્વા મત્તો ભવતિ, સ્તબ્ધો ભવતિ, આત્મારામો ભવતિ એને જાણીને માનવ મદમુક્ત થાય, સ્તબ્ધ થઈ જાય, આત્મામાં જ રમે. ૭. સા ન કામયમાના નિરોધરૂપત્વાત્ એ ભક્તિ કામનાથી રહિત હોવાથી નિરોધ (ત્યાગ) નથી. ૮. નિરોધસ્તુ લોકવેદવ્યાપારન્યાસઃ ત્યાગ તો લોક-વેદના વ્યવહાર છોડવા માટે જ કહેવાયો છે. ૯. તસ્મિન્ અનન્યતા તદ્વિરોધિષુ અપિ ભક્તિ એ ભગવાનમાં જ અનન્ય થઈ જવું – એની વિરુદ્ધ બધું હો...