મોક્ષને માર્ગે લઇ જતો વિષાદ : Shrisrishna-Arjun -શ્રીકૃષ્ણ -અર્જુન પહેલા અધ્યાયમાં અર્જુનના વિષાદનું સીહાલોકન કર્યું ,અર્જુન વિષ્ણણ બની ગયો છે .અર્જુનમાં સ્વાર્થપરાયણતા નથી. સ્વાર્થ જતા જ કર્મપરમુખતા આવી. અર્જુનને લડવા માટે કઈ જ પ્રેરણા રહી નથી.તેથી જ અર્જુન કિંકતવ્યમૂઢ થયેલો દેખાય છે. વિષાદયોગની ભૂમિકા સમજી લેવા જેવી છે.વિષાદ યોગ કેમ બને ?વિષાદ એટલે ખિન્નતા . ખિન્નતા એટલે ઉત્સાહ નો અભાવ. તો પછી તેનો યોગ કેમ થાય ? વિષાદ આવે એટલે કર્મમંદતા આવે.કર્મમંદતા આવે એટલે કર્મવિપરીતતા આવે તો પછી એને યોગ કેમ કહેવાય ? વિકાસના પાયામાં વિષાદ હોવો જ જોઈએ. મોક્ષની શરૂઆત પણ વિષાદથી જ થાય .માણસને જ્યારે આત્મરતિ ,આત્મતૃષથી અને આત્મપુષ્ટિ ગમવા લાગે ત્યારે તે મોક્ષમાર્ગ તરફ વળે.તેમાં આત્મરતિ પહેલી વાત છે . આપની અંદરના 'સ્વ ' નો આનંદ લુંટવાનું મન ક્યારે થાય ? આત્મરતિ (subjective happiness ) તરફ માણસ ક્યારે વળે? ઉંમર થયા પછી ?ના. જ્યારે માણસથી વસ્તુસાક્ષેપ સુખ (objectiv hapiness )માં રહેલી લાચાર...