Posts

Showing posts from May, 2018

દરિયા જેવડું દિલ

દરિયા જેવડું દિલ  કઈક આપવા માટે દિલ દરિયા જેવું જોઈએ' દિલસે ગુજરાતી

ગુજરાતી લોકગીતો ૧૦૦ - Gujrati Lokgito 100

Image
 મારે ટોડલે બેઠો મોર :- મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે, મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો….. મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે. મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે. મહેદી તે વાવી :-  મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે, મેંદી રંગ લાગ્યો હો.. મેંદી મૂકી મેં તો રંગીલી ભાતની માળવાનો મોર ને ઢેલ ગુજરાતની.. મળ્યો મને મનનો માંગ્યો, કે રંગ મને લાગ્યો, કે રંગ મને લાગ્યો… કે મેંદી રંગ લાગ્યો..! મેંહદીને વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે, મેંહદી રંગ લાગ્યો મારા છાયલનો રંગ, મારી પાયલનો રંગ મારા કાજળનો રંગ, મારા કંકુનો રંગ મેંદીના રંગમાં છૂપ્યો અનંગ.. તારી આંખ્યુંનો ઝોક મને વાગ્યો, કે રંગ મને લાગ્યો, કે રંગ મને લાગ્યો… કે મેંદી રંગ લાગ્યો..! મેંહદીને વાવી માળવે...

GUJRATI STATUS SUVICHAR- ગુજરાતી સ્ટેટસ સુવિચાર

GUJRATI STATUS SUVICHAR- ગુજરાતી સ્ટેટસ સુવિચાર                      (1)  પોતાની ભૂલ કબુલ કરી લેવાથી બે વસ્તુ થાય,    આત્માને હળવાશ થાય અને સંબંધ ટકી જાય !!                     (2)       આત્મવિશ્ર્વાસ એ નાનકડી હાથબતી છે.      જે અંધકારમાં તમને બધું જ નહી બતાવી શકે         પણ.....        તમને આગલું કદમ મુકવાની જગ્યા જરુર બતાવશે                     (3) "હંમેશને માટે ધ્યાન રાખો કે તમારા સફળ થવાનો સંકલ્પ  બીજા કોઈ સંકલ્પ કરતા મહત્વપૂર્ણ હોય છે..."                    (4) "જે જીવવા માંગે છે તેમને લડવા દો  અને જે લોકો આ અનંત સંઘર્ષવળી દુનિયામાં લડવા નથી માંગતા  તેમને જીવવાનો અધિકાર નથી."                  (5) "તમારા ...

ફની જોક્સ - Funny Jokes

 ફની જોક્સ   છોકરાને નોબેલ પુરસ્કાર આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે   પરીક્ષામાં એક છોકરી એ બાજુ ની સીટ ઉપર    બેસેલા એક છોકરાને પૂછ્યું  "યમક " અલંકાર ની વ્યાખ્યા બતાવ ,ઉદાહરણ સાથે   છોકરો :- જ્યારે એક શબ્દ  બે વાર આવે .               અને બંને શબ્દોના અર્થ જુદા જુદા થતા હોય                તો તેને " યમક" અલંકાર કહેવાય છે  ઉદાહરણ , તુમ રૂઠા નાં કરો , મેરી જાન                   મેરી જાન નિકાલ જાતી હે ,     છોકરાને નોબેલ પુરસ્કાર આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે  ------------------------------------------------------------------------------------ દિલસે ગુજરાતી

Pagal Jokes - પાગલ જોક્સ

Image
 પાગલ જોક્સ :-  એક પાગલખાનામાં એક પત્રકારે  ડોક્ટરને પ્રશ્ન કર્યો ||||   તમે કેવી રીતે ખબર પડે છે કે  કોણ પાગલ છે , અને કોણ પાગલ નથી  ડોક્ટર :- અમે એક વોશિંગ મશીન  પાણી થી પૂરું ભરી દઈએ છીએ                અને દર્દી ને , એક ચમચી , એક ગ્લાસ , અને એક ડોલ                આપને કહીએ છીએ ....આ વોશિગ મશીન ને ખાલી કરી દે!!!!! પત્રકાર :- અરે વાહ , આતો બહુજ સરસ ....||| એટલે નોર્મલ વ્યક્તિ હશે તે                   ડોલ નો ઉપયોગ કરતો હશે , કેમ કે ચમચી,અને ગ્લાસ કરતા મોટી હોય છે  ડોક્ટર :- નાં||| નોર્મલ વ્યક્તિ વોશિંગ મશીન માં લાગેલ ,સ્વીચ ફેરવીને મશીન ખાલી કરે છે                તમે ૩૯ નંબર ના બેડ ઉપર જાઓ ,                 જેથી અમે તમારી સરખી રીતે તપાસ કરી શકીએ   અને જો તમે પણ ડોલ વિચારી હોય તો...

અર્જુનની સમસ્યા - કર્મ હેતુ શો?

અર્જુનની સમસ્યા -- કર્મનો હેતુ શો ?             બીજું , અર્જુનના શોક અને  વિષાદનો કોયડો શો છે ? માણસ કર્મ શા માટે કરે છે ?સ્વાર્થ હોય તો કરે .આમાં કર્મમાં સ્વાર્થની ભૂમિકા હોય .તેથી સ્વાર્થ ઢીલો થયો કે કર્મ ઉપરની પકડ ઢીલી થાય. મારે કઈ મેળવવું ન હોય તો પછી મને કર્મ કરવાનું મન જ ન થાય .પછી માણસ અધ:પતિત થતો જ જાય માનદ્ કાર્યકર્તાઓ કામ નથી કરતા એ માનસશાસ્ત્રીય દ્રષ્ટીએ જોતા ભૂલ ભરેલું નથી. કારણ,કામ કરવા માટે તેમને કઈ પ્રેરણા જ નથી. કઈ મળે તો માણસ કામ કરે.નહિ તો શા માટે કરે ? તેથીજ અર્જુનને આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. અર્જુનને કઈ જોઈતું નથી.તે કહે છે કે न काक्षे  विजयं कृष्ण અર્જુનને વૈભવ નથી જોઈતો અર્જુન નર છે. न+र એટલે જે ભોગોમાં જ રમમાણ થતો નથી તે નર . તેવી જ રીતે વિત્તમાં જ રમમાણ ન થવાવાળો તે નર . લક્ષ્મી ને સ્વાધીન રાખનાર નારાયણ . આમ નર (અર્જુન) અને નારાયણ (ભગવાન) બંને શક્તિશાળી છે. અર્જુનની કર્મની ભૂમિકા સ્વાર્થ નથી. સ્વાર્થ ન હોય તો પરાર્થ હોય. માણસ પોતા માટે કર્મ ન કરે તો બીજાને માટે કરે . અર્જુનનું કહેવું એમ છે કે ' જો પરાર્થને માટે લડું ...

અર્જુનનો શિષ્યભાવ :

અર્જુનનો શિષ્યભાવ :     અર્જુન કહે છે :               कार्पण्यदोषोंपहतस्वभाव:              ગીતાનો આ શ્ર્લોક અતિ મહત્વનો છે. તેમાં ભગવાન પાસે અર્જુન પોતાનું શિષ્યત્વ જાહેર કરે છે. અર્જુનના જીવનમાં સમર્પણની આ ધન્ય ઘડી છે.        હવા વહેવા લાગે કે આપણે તેને પવન કહીએ છીએ; વાદળા વરસવા લાગે કે વરસાદ પડ્યો એમ કહીએ છીએ. આવી રીતે આત્યંતિક પ્રેમ વહેવા લાગ્યો કે આપણે તેને ભક્તિ કહીએ . અર્જુને ભક્તિપૂર્ણ અંતઃકરણથી શિષ્યત્વ માન્ય કર્યું છે. તેથી જા સંવાદ ને જુદો જ વળાંક આવ્યો છે. शिष्यस्तेअहं આ એક શબ્દ ન હોત તો બીજા અધ્યાયમાં જ ગીતા પૂરી થાત . અર્જુને એક બીજી વાત કહી છે.यच्छ्रेय: स्यान्नीश्रितं ब्रूहि    तन्मे --ભગવાન ! મને પ્રેયનું આકર્ષણ નથી, તમે મને શ્રેયનો માર્ગ દેખાડો;             શ્રેય એટલે પરલોકિક કલ્યાણ. શ્રેય જીવનવ્યાપી છે. અને પ્રેય જિંદગી પુરતું છે . મર્યા પછી પણ જીવન છે. જીવન એક અક્ષુણ ધારા છે. અર્જુન  પ્રશ્નાથી નથી . અથાર્...

મૃત્યુ પછી શું ?

Image
ગરુડ પૂરાણ : મૃત્યુ બાદ શું થાય? મૃત્યુ બાદ જીવન છે? શું મૃત્યુ પીડા દાયક છે? પૂન:જન્મ કેવી રીતે થાય? મૃત્યુ પામ્યા બાદ જીવાત્મા ક્યાં જાય છે? આવાં  પ્રશ્નો આપણા મનમાં આવે ત્યારે જ આવે,  જ્યારે આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય.આવે સમયે આપણે વિચારીએ છીએ કે તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો?શું આપણે તે વ્યક્તિને ફરી કદી પણ નહીં મળી શકાય?આપણા આ બધા પ્રશ્નો નો ઉત્તર આપણા પ્રાચીન ગરુડ – પૂરાણ માંથી મળશે. ચાલો આજે આપણે સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ…મ્રુત્યુ એક રસદાયી ક્રિયા અથવા ઘટનાક્રમ છે. પ્રુથ્વી-ચક્રનું જોડાણ છુટવુ: અંદાજે મ્રુત્યુના ૪ થી ૫ કલાક પૂર્વે , પગના તળીયા ઠંડા પડવાની શરૂઆત થઈ જાય છે. આ લક્ષણો એમ સૂચવે છે કેપ્રૃથ્વી-ચક્ર જે પગના તળીયે આવેલ છે, તે શરીરથી છૂટૂ પડી રહ્યું છે.મ્રુત્યુના થોડા સમય પહેલાં પગનાં તળીયા  ઠંડા પડી જાય છે. જ્યારે મ્રુત્યુનો સમય આવે છે ત્યારે એમ કહેવાય છે કે યમદૂત તે જીવનું માર્ગદર્શન કરવા માટે આવે છે. જીવાદોરી ( Astral Cord ): જીવાદોરી એટલે આત્મા અને શરીર સાથેનું જોડાણ.મ્રુત્યુ નો સમય થતાં,યમદૂતના માર્ગદ...

મહાભારતનું યુદ્ધ સિદ્ધાંતોને કારણે હતું :

મહાભારતનું યુદ્ધ સિદ્ધાંતોને કારણે હતું:            આ યુદ્ધ માનવ ને હઝારો સુધી વર્ષ માર્ગદર્શન આપવાનું હતું તેથી જ વેદવ્યાસે તેને આટલું મહત્વ આપ્યું છે; યુદ્ધ બે સિદ્ધાંતો ને કારણે થયું હતું . દુર્યોધન કહેતો હતો કે માનવી જીવનના ઉત્થાન માટે , તેના સુખ માટે ભગવાન અથવા ઈશ્વરની જરૂર નથી . દુર્યોધનનું રાજ્ય ભોતિક દ્રષ્ટીએ ઘણું સારું ચાલતું હતું . ભગવાનનો વિચાર કરવાનું બાદ કરીને બધાને તે રોટલો અને ઓટલો આપતો જ હતો .દુર્યોધન તે જ સિદ્ધાંતમાં માનતો હતો . તે ભગવાનને માનતો ન હતો પાંડવો એવું માનતા હતા કે માનવી જીવનના ઉત્થાન માટે સંસ્કૃતિના પાયામાં ઈશ્વર હોવો જ જોઈએ , માટે આ લડાઈ નિર્ણાયક હતી.    દુર્યોધને ઉભા કરેલા રાજ્યનું મહાભારતમાં સુંદર વર્ણન છે,તે વાચવા જેવું છે    તેના રાજ્યમાં પ્રજા સુખી હતી . તેમને ભોતિક સુખો બરાબર મળતા હતા.પ્રજાને રોટલા ઓટલાની ચિંતા ન હતી. પછી પ્રજાને ભગવાન શા માટે જોઈએ ? પાંડવ- કોરવ નું યુદ્ધ વિચારધારાનાનું યુદ્ધ હતું . ઇશ્વરાભિમુખ સમાજ ? કે ઈશ્વર વિમુખ સમાજ ? સમાજમાં વિચારની અને નીતિની ધારણા ઈશ્વર ઉપર આધારિત હ...

અધ્યાય ૨ - આતતાયી કોંરવો :

આતતાયી કોંરવો :           અર્જુન! તારી સામે આતતાયી લોકો ઉભા છે . અને આતતાયી ને મારવા એ ધર્મશાસ્ત્ર ની આજ્ઞા છે  ધર્મશાસ્ત્ર મુજબ : ઘર બાળવાવાળા, ઝેર ખવડાવાવાળા, લોકોને મારવા માટે હાથમાં શસ્ત્ર લેવા વાળા , ધન લૂટવાવાળા , ખેતર-જમીનનો કબજો કરવાવાળા , બીજાની સ્ત્રીઓ ઉપાડી જવાવાળા , આ બધા આતતાયી કહેવાય . અને સામે આતતાયી મળે તો વિચાર કરવા પણ થોભ્યા વગર તેને મારવાની ધર્મશાસ્ત્રની આજ્ઞા છે , એ સિવાય તેમને માટે બીજો કોઈ  ઉપાય નથી .                       કોરવો બધી રીતે આતતાયી છે.તેમને ઉપર કહેલી બધી વાતો કરી છે, લાક્ષાગૃહમાં પાંડવોને બાળવાનો પ્રયત્ન કર્યો , ભીમસેન ને ઝેર ખવડાવ્યુ ,કુટિલ કર્મો કરવા સસ્ત્રવિદ્યા શીખ્યા , પતિવ્રતા સ્ત્રીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કર્યો , એમને શું નથી કર્યું ? ! સામેવાળા આતતાયી છે આવી વિષમ સ્થિતિમાં તને વિષાદ ક્યાંથી આવ્યો ? બીજું , આ યુદ્ધ સમષ્ટિના હિત માટે છે એ તું જાને છે . તેમાંથી છટકવાનો વિચાર તને ક્યાંથી આવ્યો ? એમ ભગવાન કહે છે . અર્જુનને સમજાવાનો પહેલ...

અધ્યાય ૨ - અર્જુનને સમજાવાનો પહેલો પ્રયત્ન :

અર્જુનને સમજાવાનો પહેલો પ્રયત્ન :      આપણને અનંત દુખો છે , પણ આપણને પ્રત્યેકને આશા છે કે બે વર્ષ પછી દુખ જશે . આમ આશા એક મોટામાં મોટું શાસ્ત્ર છે. શક્તિ છે.વેદાંત કહે છે કે આશા છોડી દો પણ જીવનરહસ્ય જોવું હોય તો આશા શરૂઆતમાં પકડી રાખવી જોઈએ .શ્રીકૃષ્ણ ભગવાનને પણ અર્જુન માટે આશા હતી. કારણ,શ્રીકૃષ્ણ ભગવાન ઉપર અર્જુનને અમાપ ભક્તિ હતી. શ્રીકૃષ્ણ ભગવાને શરૂઆતમાં બે ચાર શ્લોકમાં એક દવા આપી જોઈ. જેમ કોઈ ને તાવ આવે તો ડોક્ટર તેને એકાદ દવા આપે. તેનાથી તાવ ન માટે તો ઈન્જેકસન આપે.છતાં તાવ ન માટે તો લોહી તપાસવાનું કહે.ડોક્ટરોની ચીકીત્ષાનીઆવી એક પદ્ધતિ છે. આવી રીતે ભગવાને પણ,      कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम          કહીને તેને ઝાટકી નાખ્યો છે ' અર્જુન ! આ વિષમ સ્થિતિમાં આવો વિચાર કરે છે ?  શ્રીકૃષ્ણ નું  કહેવું એમ છે કે ઘેર બેઠા બેઠા આવો વિચાર આવે તે સમજી શકાય , પણ અહી તો વિષમ સ્થિતિ ઉભી થઇ છે .સામેના પક્ષે પાંડવોના નાશ માટે હઝારો પ્રયત્નો કર્યા છે અને શાંતિ નિર્માણ થાય તે માટે પાંડવોએ સેંકડો યુક્તિ ઓ કરી છે ; તે છત...